28 C
Ahmedabad
Friday, September 20, 2024

જાણો શ્રી હનુમાનપુત્ર મકરધ્વજની ઉત્પત્તિ વિશે…

⦿ વાલ્મિકી રામાયણ અનુસાર જયારે શ્રી હનુમાનજી સીતા માતાની શોધ કરવા માટે લંકા જાય છે તે સમયે રાવણપુત્ર મેધનાથ હનુમાનજી સાથેના યુદ્ધમાં બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરીને હનુમાનજીને બંદી બનાવે છે. રાવણ તેના દૈત્યોને હનુમાનજીની પૂંછ સળગાવીને તેમને અપમાનિત કરવાનું કહે છે.

⦿ શ્રી હનુમાનજી સળગતી પૂંછને મોટી કરીને આખી લંકા બાળી દે છે ત્યારબાદ તે સળગતી પૂંછને બૂઝાવા માટે સમુદ્રમાં ડૂબકી મારે છે તે સમયે તેમના શરીરના પરસેવામાંથી સમુદ્રમાં એક ટીપું પડે છે તે પરસેવાનું ટીપું એક માછલી ગ્રહણ કરે છે ત્યારબાદ તે માછલી ગર્ભવતી બને છે.

⦿ એકવાર પાતાળલોકના રાજા અહિરાવણના દૂતો સમુદ્રમાંથી આ માછલીને આહાર માટે પકડી લાવે છે ત્યારે માછલીને ચીરતા તેમાંથી વાનર આકૃતિનું નવજાત શિશું (બાળક) નીકળે છે. અહિરાવણ તે વાનર બાળકને ઉછેરીને મોટો કરે છે અને તેની પાતાલપુરી ના રક્ષણ માટે નિયુકત કરે છે જેનું નામ “મકરધ્વજ” છે.

⦿ જયારે અહિરાવણ શ્રી રામ ભગવાન અને લક્ષ્મણને માયાથી બલિ ચઢાવવા માટે પાતાલલોક લઈ આવે છે તે સમયે શ્રી હનુમાનજી પાતાલલોક પહોંચે છે. ત્યારે તેમની પુત્ર મકરધ્વજ સાથે મુલાકાત થાય છે.

⦿ પાતાલ લોક જઈને અહિરાવણનો વધ કરીને તેઓ ભગવાન શ્રી રામ અને લક્ષ્મણને મુક્ત કરાવે છે અને મકરધ્વજને પાતાલલોકના રાજા તરીકે નિયુકત કરીને ધર્મના માર્ગને અનુસરવાની પ્રેરણા કરે છે.

⦿ ભારતમાં મકરધ્વજનું મંદિર ગુજરાતના બેટદ્વારકામાં આવેલું છે. આ સ્થાન દાંડી હનુમાનજી તરીકે પણ ઓળખાય છે. અહીં જ શ્રી હનુમાનજી અને મકરધ્વજનું મિલન થયું હતું તેના પ્રમાણ સ્વરુપે એક મૂર્તિ હનુમાનજીની છે અને એક મકરધ્વજની છે.આ બંને મૂર્તિઓના હાથમાં ગદા નથી અને આ બંને મૂર્તિ સૌમ્ય સ્વરુપે છે.

Learn about the origin of Sri Hanumanputra Makardhwaj

⦿ રાજસ્થાનના બીવરમાં હનુમાનજીને બાલાજી તરીકે પૂજાય છે ત્યાં તેમના પુત્ર મકરધ્વજની પણ પૂજા કરવામાં આવે છે.

⦿ પોરબંદરમાં ઓડદર ગામે,મહારાષ્ટ્રના બીડમાં,મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં પણ મકરધ્વજનું મંદિર આવેલ છે.

જય શ્રી રામ. જય હનુમાન

જય બહુચર માઁ.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page