29 C
Ahmedabad
Friday, September 20, 2024

જાણો માધુપુરા શ્રી અંબાજી મંદિરનો ઈતિહાસ

શ્રી માધુપુરા અંબાજી મંદિરનો ઇતિહાસ આશરે ૨૦૦ વર્ષ જૂનો છે. આ મંદિરની ઈતિહાસના પાનાઓ પર કંડારાયેલી વિશેષતા એમ છે કે શ્રી નરભેરામ પ્રભુરામ ભટ્ટ ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાના કપડવંજ ગામમાં રહેતા હતા.

શ્રી નરભેરામ તેમની વિદ્વતા અને ઉચ્ચ કોટિના જ્ઞાનના કારણે તેઓ ગામના અગ્રણી વ્યક્તિત્વ માનવામાં આવતા હતા. ગુજરાતમાં આવા લોકોને સન્માન સાથે “દરબાર” તરીકે ઓળખાતા. તેઓ ઘી નો વેપાર કરતા હતા.

એકવાર એક શિલ્પકાર કપડવંજ આવીને માં અંબાની બે મૂર્તિઓ વેચવા માટે આવ્યો. ગામના લોકોએ તેમને કહ્યું કે નરભેરામ સિવાય કોઈ તમારી મૂર્તિઓ ખરીદી શકશે નહીં. ગામના લોકોએ નરભેરામની મજાક ઉડાવવા માટે આમ કહ્યું હતું.

ત્યારબાદ શિલ્પકાર શ્રી નરભેરામભાઈ પાસે ગયા અને તેમને વ્યાજબી ભાવે મૂર્તિઓની ખરીદી કરવાનું કહ્યું. શ્રી નરભેરામભાઈએ શિલ્પકારને કહ્યું હતું કે તેમની પાસે નગદ નાણા હાલ ઉપલબ્ધ નથી પરંતુ તેમણે તેમને દરખાસ્ત કરી કે તે મૂર્તિઓના બદલામાં તેઓ ઘી થી ભરેલા ૧૭ ઘડા આપી શકે છે. જો તે સંમત થાય તો તે મૂર્તિઓ સાથે ઘી ની આપ-લે કરી શકે છે. અંતે શિલ્પકારે આ દરખાસ્તને સંમતિ આપી અને તેને ઘી ની જગ્યાએ મૂર્તિઓ આપી.

ત્યારબાદ શ્રી નરભેરામજી પોતાના ઘરનો તમામ સામાન વેચીને અંબાજીની બે મૂર્તિઓ સાથે અમદાવાદ જવા રવાના થયા તે સમયગાળા દરમિયાન ઉત્કંઠેશ્વર – દહેગામ માર્ગનો ઉપયોગ અમદાવાદ પહોંચવા માટે થતો હતો. શ્રી નરભેરામભાઇએ ઉત્કંઠેશ્વર મંદિરના પૂજારીને અંબાજીની એક મૂર્તિ આપી. હાલમાં પણ આ મૂર્તિની પૂજા કરવામાં આવે છે. અહીં ઉતકંઠેશ્વર મહાદેવના મંદિરની સામે અંબાજી માતાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.

ત્યારબાદ તેઓ અમદાવાદ પહોંચ્યા ત્યાં દિલ્હી દરવાજા બહારના વિસ્તારમાં ગયા જ્યાં પ્રખ્યાત હઠીસિંગ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. તેમણે ઉપરોક્ત મંદિરના ટ્રસ્ટીઓને મળ્યા અને દેવી અંબાજીની મૂર્તિ વિશે વાત કરી. તેમણે તેમને અંબાજીના દેવીના નિર્માણ માટે જમીનનો ટુકડો ફાળવવા વિનંતી કરી. ટ્રસ્ટીઓ તે શરત પર રસ ધરાવતા હતા કે તેમનો મંદિર ઉપર સંપૂર્ણ અધિકાર રહેશે.

શ્રી નરભેરામજીને આ વાત સ્વીકાર્ય નહોતી. તેમણે તેમને કહ્યું કે તેમણે આ બધી વસ્તુઓ વેચીને આ મૂર્તિ મેળવી છે. તે કેવી રીતે ટકી શકે અને તેની જાળવણીનું શું ? તેમણે ટ્રસ્ટીઓની દરખાસ્તને નકારી કાઢી હતી.

ત્યાંથી તેઓ નજીકના માધુપુરા ગામે ગયા. માધુપુરા ગામના તત્કાલીન દરબાર નરભેરામભાઈની વિનંતીથી ખૂબ પ્રસન્ન થયા અને તરત જ દેવી અંબાજીનું મંદિર બનાવવાની જમીનની વ્યવસ્થા કરી ત્યારબાદ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું.

થોડી પેઢીઓ પછી શ્રી અંબાલાલ બાપુજી ભટ્ટે મંદિરના વિકાસ અને નિર્માણ કાર્યની કામગીરી શરૂ કરી પરંતુ મંદિરના ગુંબજનું નિર્માણ પૂર્ણ થઈ શકે તે પહેલાં જ તેઓ દેવગતિ પામ્યા તે પછી બાકી રહેલું કામ હાથ ધરવામાં આવ્યું હતું. શ્રી પુષ્પરાય અંબાલાલ ભટ્ટે તેમની દેખરેખ હેઠળ મંદિરનું નિર્માણ કાર્ય સંપૂર્ણ કર્યુ હતું.

માધુપુરા અંબાજી મંદિરના વર્તમાન પૂજારી શ્રી જણાવે છે કે આ મંદિરની વિશેષ ખાસિયત એ છે કે આ મંદિરે માંઈભકતો અંબાજી માતાના દર્શન કરીને માતાજીના આશીર્વાદથી પોતાના મનની દરેક મનોકામના પૂર્ણ કરે છે. માધુપુરાના તમામ વેપારીજનો રોજ સવારે અહીં દર્શન કર્યા બાદ જ પોતાની દુકાન ખોલે છે. આ મંદિરે ચૈત્રી અને આસો નવરાત્રીની નોમના દિવસે નવચંડી યજ્ઞ થાય છે અને દરેક ભકતોને અહીંથી ચૂંદડીનો પ્રસાદ વહેંચવામાં આવે છે.

જય અંબે માં.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page